મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા વિરજીભાઇ તેમજ તેમના અન્ય બે ભાઈઓ ના નામે આશરે ૧૫૫૦ ચોરસ મીટરની જમીન હોય. ત્યારે આશરે દોઢ વર્ષ પહેલાં ફરિયાદી વિરજીભાઇનો ભત્રીજો વિશાલ વાડીમાં હોજ ગાળવા જતા વલમજીભાઈ ના દીકરા દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા, થોડા સમય બાદ ખેતી કરતા પણ રોકી દેવામાં આવ્યા હતા. બાદ ફરિયાદી દ્વારા આ બાબતે આર.ટી.આઇ. કરવામાં આવી હતી. ત્યારે આર.ટી.આઇ ના જવાબમાં જમીનનું સમતિપત્ર આપવામાં આવ્યું હતું. જે ફરિયાદી અનુસાર બનાવતી હોય તેમજ તેમાં જે હસ્તાક્ષર કરવામાં આવ્યા હોય તે પણ તેમના ના હોય ત્યારે આ બાબતે મોરબી કલેકટર પાસે રજૂઆત કરવામાં આવી છે.
બાદ આરોપીઓ દ્વારા ખોટા સમતિપત્રનો ઉપયોગ કરી બિનખેતી જમીન માંથી ફરિયાદીની જમીનમાં ખોટો રસ્તો બતાવી , જમીનને ગેરકાયદેસર દબાણ રસ્તા તરીકે ઉપયોગ કરતા હોય. ત્યારે વલમજીભાઈ કાલરીયા તેમજ પરેશભાઈ પાંચોટિયા દ્વારા ફરિયાદીના નામની જમીન પર કબ્જો કરવા બાબતે ગુન્હો નોંધાયો છે
મોરબી સબજેલ ખાતે આજે સ્કોવર્ડ જેલર દ્વારા ઝડતી લેવામાં આવી જેમાં ઝડતી દરમિયાન સબજેલમા બેરક નંબર -૩ અને ચાર વચ્ચેથી આવેલ સંડાસ બાથરૂમમાથી તથા બેરેક નંબર ૪ થી ૬ ના બાથરૂમના બોકારામાથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા. (ઉં.વ.૫૪), જેલર ગુપ-૧, ઝડતી સ્કવોર્ડ જેલર...
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના ખાણી–પીણીના ધંધાર્થી ઓને જણાવવાનું કે નવા ફૂડ લાઇસસન્સ અને રજીસ્ટ્રેશન ઘેર બેઠા ઓનલાઈન કરી શકાય છે, ફૂડ લાયસન્સ મેળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના માટે foscos.fssai.gov.in પર લૉગિન કરી મેળવી શકાય છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના ખાણી-પીણીના ધંધાર્થી, મીઠાઇ ફરસાણના ધંધાર્થી, હોટેલ-...
મોરબી: મહાશિવરાત્રિ પર્વ નિમિતે શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે તારીખ-૧૫- ૦૨-૨૦૨૬,ને રવિવાર ના સૂર્યોદય સાથેજ ભગવાન ના વસ્ત્રો, આભૂષણ અને શૃંગાર દર્શન, સવારે ૯:૦૦ કલાકે ધ્વજારોહણ પૂજન.બપોરે ૧૨:૦૦ કલાકે મધ્યસ્થ આરતી તથા મહાશિવરાત્રિ નિમિત્તે ભાંગ પ્રસાદ વિત્રણ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી, તથા દીપમાળા પ્રાગટ્ય પૂજન. રાત્રે ૧૦ થી ૧ર વાગ્યા...