હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ દેવી દેવતાના સ્ટીકર અથવા ફોટા વાળા ફટાકડાનુ વેચાણ ન કરવા અને જો વેચાણ કરતા પકડાશે તો કલમ ૨૯૫/૨૯૫ A મુજબ કાનૂની કાર્યવાહી કરીશુ એવુ જણાવવામા આવ્યુ હતુ તો ત્યાંના તમામ વેપારી દ્વારા એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓને પૂરો સપોર્ટ કરવા નું કહ્યું છે એ પણ વેચાણ નહિ કરે અને બીજાને પણ વેચાણ નહિ કરવા દે એવું વેપારીઓ દ્વારા એકતા એજ લક્ષ્ય સંગઠનને જણાવ્યું છે. આમાં તમામ ગામના અથવા શહેરોમાં વેપારીઓ હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાના સ્ટીકર વાળા ફટાકડાના ખરીદે અને વેચાણના કરે નહિ તો હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને આપણે પણ હિન્દુ દેવી દેવતાઓના ફટાકડા ના ખરીદીને સપોર્ટ કરવો.
મોરબી એક વિકાસની હરણફાળ ગતિએ પ્રગતિ કરે છે. ત્યારે મોરબીમાં જાહેર શૌચાલયના ખૂબ જ અભાવ છે. જે સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોન 2 સામાકાંઠા વિસ્તારમાં જાહેર શૌચાલયની માંગણી કરવામાં આવી છે.
મોરબી ઝોન-૨ ગણાતા સામાકાંઠા વિસ્તાર કે જ્યાં પ્રાથમિક સુવિધા નો ખૂબ જ અભાવ છે. સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ...
ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેથી બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં ભારત કો...
માળીયા થી રાજકોટ જતા અને મોરબી મધ્યે થી નીકળતા હાઇવેની વચ્ચે નાખેલ સ્ટ્રીટ લાઇટો જે ભક્તિનગર સર્કલ બ્રિજ થી ભગવાન પરશુરામ બ્રિજ સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા મોરબીના જાગૃત નાગરિક ચાવડા નિલેષભાઈએ કલેકટરને રજૂઆત કરી માંગ છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે હાલમાં મોરબી નગરપાલિકામાંથી...