હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ દેવી દેવતાના સ્ટીકર અથવા ફોટા વાળા ફટાકડાનુ વેચાણ ન કરવા અને જો વેચાણ કરતા પકડાશે તો કલમ ૨૯૫/૨૯૫ A મુજબ કાનૂની કાર્યવાહી કરીશુ એવુ જણાવવામા આવ્યુ હતુ તો ત્યાંના તમામ વેપારી દ્વારા એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓને પૂરો સપોર્ટ કરવા નું કહ્યું છે એ પણ વેચાણ નહિ કરે અને બીજાને પણ વેચાણ નહિ કરવા દે એવું વેપારીઓ દ્વારા એકતા એજ લક્ષ્ય સંગઠનને જણાવ્યું છે. આમાં તમામ ગામના અથવા શહેરોમાં વેપારીઓ હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાના સ્ટીકર વાળા ફટાકડાના ખરીદે અને વેચાણના કરે નહિ તો હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને આપણે પણ હિન્દુ દેવી દેવતાઓના ફટાકડા ના ખરીદીને સપોર્ટ કરવો.
દિવાળીના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા “આત્મનિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ 6 યુવતીઓને બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી છે.
આ તમામ યુવતીઓ આ તાલીમ ઉમા’ઝ પાર્લર ખાતે ઉમાબેન સોમૈયા પાસેથી મેળવશે. ઉમાબેન વર્ષોથી બ્યુટી ક્ષેત્રમાં પોતાની...
મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલાને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી જીલ્લા પોલીસ દ્વારા બંનેને અલગ-અલગ જેલ હવાલે કવામાં આવેલ છે.
પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ એક ઇસમ તથા એક મહીલા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ...
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિર થી પ્રસ્થાન કરાવી હતી. ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સુતરની આંટી પહેરાવી...