આઈ ખેડૂત પોર્ટલ પર ૧૫ મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ”નો વાવેતર વિસ્તાર વધારવા માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર વાવેતર ૨૦૨૨-૨૩ માં પોતાની માલિકીની જમીનમાં વાવેતર કરેલ હોય તેવા સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ ૩,૦૦,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના ખેડુત માટે ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ. ૪,૦૦,૦૦૦/હે પ્રતિ હેક્ટરની ૬,૦૦,૦૦૦- ની યુનિકોસ્ટ મર્યાદામાં મહત્તમ ૧ હેક્ટર માટેની સહાય આપવામાં આવશે.
આ માટે જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતોએ તા.૧૫/૧૦/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૪ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા મોરબી નાયબ બાગાયત નિયામક ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત શેરી ફેરી પ્રવૃતિ કરતાં લોકો આર્થિક મદદ માટે બેક દ્વારા લધુ ધિરાણ આપવામાં આવશે
મોરબી શહેરના શેરી ફેરિયાઓ માટે પી. એમ. સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયા પોતાની આજીવિકા વધારી શકે તેમનો વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પી. એમ....
મોરબી તાલુકાના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીના રોડનું પેચવર્ક કરવા બાબતે સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી હતી જે રજૂઆત ફળતા રોડની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના ગોર ખીજડીયા નારણકા અને માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગોર ખીજડીયા થી નારણકા થી માનસર...