મોરબી: નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગઈ કાલના રોજ મોરબી શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. જગતના નાથ એવા કાનુડાના જન્મોત્સવને વધાવવા મોરબીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. અને વાલાના વધામણા કર્યા હતા.
ગઈ કાલના રોજ દેશભરમાં હિંદુ ધર્મના મહત્ત્વના તહેવાર જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. હિંદુ ધર્મમાં ભગવાન કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોહિણી નક્ષત્રમાં રોજ ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી શહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર તેમજ ગામડાઓમાં ભવ્ય શોભાયાત્રા કાઢી મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા. અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે લોકો રાસ ગરબે પણ રમ્યા હતા. અને કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...