મોરબી: નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગઈ કાલના રોજ મોરબી શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. જગતના નાથ એવા કાનુડાના જન્મોત્સવને વધાવવા મોરબીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. અને વાલાના વધામણા કર્યા હતા.
ગઈ કાલના રોજ દેશભરમાં હિંદુ ધર્મના મહત્ત્વના તહેવાર જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. હિંદુ ધર્મમાં ભગવાન કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોહિણી નક્ષત્રમાં રોજ ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી શહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર તેમજ ગામડાઓમાં ભવ્ય શોભાયાત્રા કાઢી મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા. અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે લોકો રાસ ગરબે પણ રમ્યા હતા. અને કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...