મોરબીના હરીપાર્ક વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. વરસાદ પૂરા થયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરાય રહેતા સ્થાનિકો થયા ત્રસ્ત. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત માં જણાવ્યું હતું કે ભગવતી પાર્ક પાછળ આવેલ હરીપાર્ક સોસાયટી, જેમાં વરસાદી પાણી ઘણા સમયથી ભરાય રાહે છે. વરસાદનાં નિકાલનો રસ્તો અમુક લોકો દ્વારા જાણીજોઈને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ત્યાં પાક્કી દિવાલ પણ કરી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. ત્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત પાણીને કેનાલ બાજુ વાળવા માટેની વ્યવસ્થા કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...
હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલ હોય ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી પથ્થર વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઇ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૫)...
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ...