મોરબીના હરીપાર્ક વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. વરસાદ પૂરા થયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરાય રહેતા સ્થાનિકો થયા ત્રસ્ત. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત માં જણાવ્યું હતું કે ભગવતી પાર્ક પાછળ આવેલ હરીપાર્ક સોસાયટી, જેમાં વરસાદી પાણી ઘણા સમયથી ભરાય રાહે છે. વરસાદનાં નિકાલનો રસ્તો અમુક લોકો દ્વારા જાણીજોઈને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ત્યાં પાક્કી દિવાલ પણ કરી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. ત્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત પાણીને કેનાલ બાજુ વાળવા માટેની વ્યવસ્થા કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવ આગામી તા. 11 ના રોજ યોજાશે. ત્યારે યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગો તેમજ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભા રાખવામા આવેલ છે. અને ત્યારે રાજ્યના મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ સહિતના હાજર રહેશે. ત્યારબાદ ગામનો સમૂહ પ્રસાદનું યોજાશે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા...
મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ સાથે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી કરવામાં આવી હતી, મહાનગરપાલિકાની ઇલેક્ટ્રીક શાખા એ જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાત મુજબ કુલ 151 સ્ટ્રીટ લાઈટ રૂ.58 લાખના ખર્ચે નાખી હતી. ઇલેક્ટ્રિક શાખાની આ કામગીરી થી આ વિસ્તારોમાં રાત્રિના સમયે રાહદારીઓને આવવા-જવા માં સરળતા...
મોરબી શહેરમાં રહેતા અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર યુવકને આરોપીએ પોતાના મોબાઈલમાં ફેક ફેસબુક આઈડી બનાવી તે પરથી યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનતી કરી ગાળો આપી તથા સાથીઓને પણ અભદ્ર ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ સબજેલ પાસે વણકરવાસમાં રહેતા ધંધો કરતા અને આમ...