ચિત્રકલા, ઓર્ગન, ગિટાર, વકતૃત્વ અને ભરતનાટ્યમ્ સ્પર્ધાઓમાં કલાસાધકોએ રંગ રાખ્યો
મોરબી જિલ્લાના 6 સ્પર્ધકોએ કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બની સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લાનું નામ રોશન કર્યુ છે. આ કલાકારોએ ચિત્રકલા, ઓર્ગન, ગિટાર, વકતૃત્વ સ્પર્ધા અને ભરતનાટ્યમ્ વગેરે સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા રાજ્યકક્ષાએ જીત મેળવી છે.
સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ લોકોમાં રહેલી કલાઓને ઉજાગર કરવા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા કલા મહાકુંભની વિવિધ રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ભાવનગર ખાતે યોજાઇ હતી, જેમાં મોરબી જિલ્લાના સ્પર્ધકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
ચિત્રકલાની સ્પર્ધામાં યશ્વી પરમારે 15 થી 20 વર્ષના વય જૂથમાં પ્રથમ, ઓર્ગનની સ્પર્ધામાં તુષારભાઈ પૈજાએ 21 થી 59 વર્ષના વય જૂથમાં પ્રથમ, ગીટારની સ્પર્ધામાં મેહુલ શેઠે 21 થી 59 વર્ષના વય જૂથમાં પ્રથમ, વકતૃત્વ સ્પર્ધામાં વિસ્મય ત્રિવેદીએ 15 થી 20 વર્ષના વય જૂથમાં દ્વિતિય, ગિટારની સ્પર્ધામાં હર્મન શેઠે 06 થી 14 વર્ષના વય જૂથમાં દ્વિતિય, ભરતનાટ્યમ્ ની સ્પર્ધામાં જાનવી સવસાણીએ 15 થી 20 વર્ષના વય જૂથમાં તૃતિય ક્ર્માંક મેળવી કલા મહાકુંભમાં મોરબી જિલ્લાને આગવું સ્થાન અપાવ્યું છે. તમામ કલાકારોને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ સમગ્ર મોરબી વહિવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...