મોરબી : મોરબી શહેરમાં ઠેરઠેર જામેલા ગંદકી અને કચરાના ઢગલાઓ દુર કરાવીને માંદગી ફેલાતી અટકાવવા યોગ્ય કરવા બાબતે સરકારને પત્ર લખી કાંતીલાલ બાવરવાએ રજૂઆત કરી છે.
જેમ કે ચાલુ સાલે ચોમાસામાં અતી વૃષ્ટિથી લોકોએ ખુબજ પરેશાની ભોગવેલ છે. હજુ પણ ઘણી જગ્યાએ પાણી ભરાયેલ પડેલા છે. જેનો કોઈ નીકાલ કરવામાં આવેલ નથી.
આવી જ રીતે મોરબી શહેરમાં ઠેર ઠેર ગંદગી ફેલાયેલી છે. તેમજ કચરાના ઢગલા ઓ પડેલ છે. આના કારણે મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓનો ત્રાસ વધેલો છે. અને શહેરમાં હાલમાં મચ્છર તેમજ પાણી જન્ય રોગો ખુબજ ફેલાયેલ છે. જેમાં ડેન્ગ્યું, મલેરિયા, ટાઈફોડ, ઝાડા, ઉલ્ટી વગેરે પ્રકારના રોગો ફેલાયેલ છે. હોસ્પિટલોમાં દર્દીઓનું કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે.
તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવા દ્વારા મોરબી જિલ્લા કલેકટર,મોરબી નગરપાલિકાના ચિફ ઓફીસર, રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા,સહીત મુખ્યમંત્રીને પત્ર લખી લેખીતમાં રજૂઆત કરી છે કે આપ યોગ્ય આદેશો આપીને મોરબીની જનતાને આ નર્કજેવી પરિસ્થિતિ માંથી ઉગારવા યોગ્ય પગલાં ભરવામાં આવે.
ટ્રાફિક પોલીસ ધૃતરાષ્ટ્ર બની ને કામગીરી કરી રહ્યું હોય તેવો ઘાટ: ટ્રાફિક પોલીસ ને ફક્ત મેમો બનાવી લોકોને ખંખેરવામાં જ રસ ?
મોરબી જિલ્લા પોલીસ વડા ટ્રાફિક સમસ્યા હલ કરવાની વાતો કરી રહ્યા છે પણ કામ ક્યારે ?
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં હોસ્પિટલ ઝોનમાં ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણથી રોજબરોજ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો...
મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ ઢોર પકડવા ગયેલ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બે મહિલાઓએ બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામ રહેતા અને મહાનગરપાલિકામા કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતા વિપુલભાઈ...
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...