મોરબી: મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા પહેલા માળેથી નીચે પટકાતાં યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા રહેતા કરશનભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.વ. ૪૫) તા-૨૯/૦૮/૨૦૨૨ ના રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઇ કારણોસર પહેલા માળેથી પડી જતા માથે કાનમાં શરીરે ઇજા થતા પ્રથમ સારવાર સીવીલ હોસ્પિટલ મોરબી ત્યારબાદ વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં જતા જેનું ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડો. જે.જી.વાગડીયાએ તપાસી તા-૩૦/૦૮/૨૦૨૨ ના રોજ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...