મોરબી: મોરબીનાં ટીમડી પાટીયા નજીક નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટે બે અમદાવાદીઓએ ખોટી ઓળખ આપી જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ને આપેલ કુલ રૂ.૭૫ લાખ પરત ન આપતા જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીના માલીકે મીકિમી ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નજરબાગ રોડ પર અનુપમ કો.ઓપરેટીવ સોસાયટીમાં ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા અનીલભાઈ જમનાદાસ ઠક્કર (ઉ.વ.૫૪) એ આરોપી મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના ડાયરેક્ટર પંકજકુમાર ફકિરચંદ સોલંકી અને પ્રેમસાગર ફકિરચંદ સોલંકી રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા જુન -૨૦૧૬થી સને ૨૦૨૦ દરમ્યાન ટીંબડી ગામના પાટીયા નજીક નવરચના સ્ટોન પ્રોડક્ટ યુનિટે આવી આરોપી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી ના ડાયરેકટર આરોપી પંકજકુમાર તથા આરોપી પ્રેમસાગર નામ વાળાઓએ ગુન્હાહિત કાવતરૂ રચી આરોપી પંકજકુમારે ફરીયાદીને તેઓ રાજપુત સમાજમાંથી આવતા હોવાની ખોટી ઓળખ,પરીચય આપી પોતે વી.વી.આઇ.પીના અંગત મીત્ર અને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગના મહત્વના કર્મચારી અને વહિવટ કરતા હોવાનો સ્વાંગ રચી એક વેપારી તરીકે ફરીયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદે વિશ્વાસઘાત કરીને ફરીયાદીની જેઠવા સ્ટોન નામની ભાગીદારી પેઢીમાંથી મીકામી ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ને આપેલ કુલ રૂ.૭૫,૦૦,૦૦૦/- પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસધાત કર્યો હતો. આ બનાવ અંગે અનીલભાઈએ છેતરપિંડી કરનાર મીકામી ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના ડાયરેક્ટર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૧૨૦(બી),૪૦૬,૪૧૯,૪૨૦ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...