મોરબી: મોરબી વાવડી ચોકડી મહાદેવ મંદીર પાસે રોડ પર યુવક ઉપર બે શખ્સોએ કુહાડી વડે હુમલો કરી મુંઢ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી ગાયત્રીનગરમા રહેતા સંજયભાઈ માણસુરભાઈ ગજીયા (ઉ.વ.૨૭) એ આરોપી જીલુભાઈ નાથાભાઈ વાંક (રહે.કન્યા છાત્રાલય રોડ કેનાલ વાળી પહેલી શેરી તા.મોરબી ) તથા સંજયભાઈ રાજાભાઈ ડાંગર (રહે.તારાણા ગામ તા.જોડીયા જી.જામનગર) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૩૧ -૦૮-૨૦૨૨ના રોજ સવારના આઠક વાગ્યાના અરસામાં ફરીયાદી સંજયભાઈને આરોપી જીલુભાઈએ કુહાડીથી માથામાં એક ઘા મારી ઈજા કરેલ તેમજ આરોપી સંજયભાઈએ ફરીયાદીને શરીરે મુંઢ ઈજા કરી બંન્નેએ ફરીયાદીને ગાળો ભુંડા આપી હતી. જેથી સંજયભાઇ ગજીયાએ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામાનો ભંગ હેઠળ ગુન્હો નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...