તલાટીઓની હડતાળને વીસીઈઓએ ટેકો જાહેર કરતા ગ્રામ પંચાયતની કામગીરી ખોરવાઈ
રાજ્યભરમાં તલાટી મંત્રીઓ છેલ્લા કેટલાય સમયથી ૨૦૦૪-૦૫થી ભરતીથી 5 વર્ષથી ફિક્સ પગારની નોકરી સળંગ નોકરી ગણવાની અને તેના આધારે બઢતી બદલી તેમજ ઉચ્ચતમ પગાર ધોરણ આપવા સહીતની માંગણી કરી રહ્યા છે
આ ઉપરાંત સર્કલ ઇન્સ્પેકટર વર્ગ 3ની જગ્યાએ વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવા આવતા તારીખ 01-01-2016 અને ત્યારબાદથી મળવાપાત્ર પ્રથમ દિવસીય ઉચ્ચતમ પગાર ધોરણ કેવા પરીક્ષા રદ કરવા માંગણી કરી છે. આં ઉપરાંત રેવન્યુ (મહેસુલી )તલાટીને પંચાયત મર્જ કરવા બાબત અથવા જોબ ચાર્ટ અલગ કરવા,01-01-2016 બાદ પ્રથમ અને બીજા પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવામાં આવે તેવી માગની કરવામાં આવી છે આમ અલગ અલગ માંગણી મુદે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના નેજા હેઠળ મોરબી જિલ્લાના 351ગામમાં ફરજ બજાવતા 225 તલાટી મંત્રી પણ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા હતા અને જ્યાં સુધી માંગણી નહી સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી કામગીરીમાં નહી જોડાવવાની જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ મોરબી તાલુકાનો પ્રમુખ રવીભાઈ હુંબલે જણાવ્યું હતું.
તલાટી મંત્રીની અચોક્કસ મુદતની હડતાળને મોરબી જિલ્લાની વીસીઈ મંડળે પણ સમર્થન આપ્યું હતું..આ હડતાલથી મહેસુલી અને વહીવટી કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને જ્યાં સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...