વિશ્વઉમિયાધામ મંદિરના નિર્માણ અર્થે દાતાઓએ 7 કરોડનું દાન જાહેર કર્યું
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના સહયોગ અર્થે અમદાવાદના ઘાટલોડિયામાં શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસમાં પરમ પિતા શિવ અને મા ઉમિયાની આરધાન કરવી એ શ્રેષ્ઠતમ પુણ્યની વાત છે ત્યારે પૂજ્ય રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી શિવપુરાણનું રસપાન કરાયું છે. જેમાં દરરોજ 2500થી વધુ મા ઉમિયાના ભક્તોએ લાભ લીધો હતો. મહત્વનું છે કે શિવમહાપુરાણ કથામાં પાટીદાર સહિત તમામ સમાજના ભક્તોએ લગભગ 7 કરોડથી વધુના દાનની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે શિવમહાપુરાણ કથા નિમિતે અનેક યુવાનોએ વ્યસનમુક્તિના સંકલ્પ લીધા હતા.
લવજેહાદ અટકાવવા દરેક ઘરમાં ઘરસભા જરૂરી છેઃ આર.પી.પટેલ
વિશ્વઉમિયાધામ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે દિવસેને દિવસે વધી રહેલા લવજેહાદના કિસ્સાઓ ઘટાડવા માટે દરેક ઘરમાં ઘરસભા થવી જોઈએ. વધુમાં આર.પી.પટેલે યુવાનમાં નવા ઉર્જા અને સંગઠન શક્તિ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડની જાહેરાત કરી હતી. તેઓ જણાવે છે કે વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડ ન માત્ર ગુજરાત પણ અમેરિકા, બ્રિટન, આફ્રિકા અને કેનેડા સહિત વિશ્વના અનેક દેશોમાં રમાશે. વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડની ઓપનીંગ શેરેમની 5 જાન્યુઆરી 2024ના રોજ યોજાશે
મોરબીની બિલિયા પ્રાથમિક શાળા એ એવી એક શાળા છે જ્યાં વિદ્યાર્થીઓનું હોલેસ્ટિક ડેવલપમેન્ટ થાય, વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
જેમ કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વોકેશનલ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ...
સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી થયેલ સી.એન.જી રીક્ષા ચોરીના આરોપીને વિશી ફાટક નજીક રીક્ષા સાથે મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક નંબર પ્લેટવગરની શંકાસ્પદ સી.એન.જી રીક્ષા વીશીપરા તરફથી વીશફાટક તરફ આવતી હોય જેથી વોચમા હોય દરમ્યાન નંબર પ્લેટ વગરની...
મોરબી તાલુકાના બગથળા ગામ પાસે આવેલ પાણીના તળાવમાં કોઈ કારણસર ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા (ઉ.વ.૩૩) નામના યુવક કોઇ અગ્મીય કારણો સાર બગથળા ગામ પાસે આવેલ બગથળીયા મંદીર પાસે આવેલ પાણીના તળાવમા ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું....