મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.
આ બેઠક અન્વયે રોડ-રસ્તા, પીવાનું પાણી, પાણીના જોડાણ, કેનાલ અને સિંચાઈ સુવિધા, તળાવોમાં પાણી ભરવા જોડાણ ઉભું કરવા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટ વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી પગલાઓ લેવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં તારીખ ૩૦/૧/૨૦૨૬ ને શુક્રવાર ના રોઝ ઉર્ષે હઝરત સૈયદ સિકંદરમીંયા બાવા નો મનાવવામાં આવશે તો તમામ સુન્ની મુસ્લિમ બિરાદરો ને જાણ કરવામાં આવેછે કે મુ. ચાંદ ૧૦ શાબાન સ.હી. ૧૪૪૭ અને અં. તા. ૩૦-૦૧-૨૦૨૬ શુક્રવારે હજરત પીરે તરીકત અલહાજ સૈયદ સિકંદરમીયા બાવા રહેમતુલ્લાહી અલ્યહે ના ઉર્ષે મુબારક શાનો...
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાએ મોરબી મનપાની હદ વિસ્તારમાં આવતા વિસ્તારોમાથી અનધિકૃત રીતે કરવામાં આવેલા દબાણો દૂર કર્યા હતા. જે અંતર્ગત મોરબીના શનાળા રોડ, મહેન્દ્રનગર ગામ, જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી દબાણ શાખાએ કામગીરી કરી હતી.
મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા અનધિકૃત કરેલ...