મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ મોરબી જિલ્લાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “સખી મંડળોની તમામ બહેનો નાણાકીય રીતે સધ્ધર બને તે માટે સખી મંડળોના પ્રમુખોએ પ્રયાસો કરવા જોઇએ. સખી મંડળની બહેનોએ નાના ગૃહ ઉદ્યોગ સ્થાપી આર્થિક પગભર બનવું જોઈએ. મહિલાઓને કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લાવવું એ અમારી જવાબદારી છે. મોરબી જિલ્લાને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ જાગૃત બની સહિયારા પ્રયાસો કરે તે ખૂબ જરૂરી છે”.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “બાળકોને શિક્ષિત બનાવવામાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. ત્યારે ગુજરાતમાંથી વધુમાં વધુ યુવાનો IAS અને IPS બને તે માટે બાળકોને એ રીતે શિક્ષિત બનાવવા માટે મહિલાઓએ કમર કસવી જોઈએ”.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ મહિલાઓને સખી મંડળ હેઠળ મળતી વિવિધ નાણાકીય સહાયની માહિતી આપીને જણાવ્યું હતું કે, “જિલ્લાની મહિલાઓને વિવિધ યોજનાનો લાભ સરળતાથી મળે અને મોરબી જિલ્લો ઉચ્ચ કક્ષાએ પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે”.
જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, “સરકાર મહિલાઓની સતત ચિંતા કરે છે અને મહિલાલક્ષી અનેક યોજનાઓ બનાવી છે. ત્યારે મહિલાઓ આ યોજનાઓનો લાભ લે અને અન્ય મહિલાઓને જાગૃત કરી આ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે માર્ગદર્શન આપે તે અગત્યનું છે”.
જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, “સખી મંડળો મહિલાઓને પગભર થવા માટે ખૂબ મહત્વના છે ત્યારે સરકાર પણ મહિલાઓને ૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ આપી તેમને સક્ષમ બનવા માટે ટેકો આપે છે. મહિલાઓ આગળ આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે મહિલાઓ પણ સાથે મળી સહિયારા પ્રયાસ કરે તે જરૂરી છે”.
મોરબી જિલ્લા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ યોજાયેલ કેશ ક્રેડીટ કેમ્પ અન્વયે ૨૨ સખી મંડળની બહેનો ૬.૬૦ લાખ રિવોલ્વીંગ ફંડ, ૧૭ સખી મંડળની બહેનોને ૧૯.૮૦ લાખનું સી.આઈ.એફ. ફંડ અને ૧૧૩ સખી મંડળની બહેનોને ૨૫૧ લાખની સી.સી.લોનની સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીએ કર્યું હતું. કાર્યક્ર્મની આભારવિધિ અને સંચાલન દિનેશભાઈ ભેંસદડિયાએ કર્યુ હતું.
આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘી, અગ્રણી રમાબેન ગડારા, મંજુલાબેન ચૌહાણ તથા સખી મંડળોની બહેનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...