સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ-મોરબી ના અગ્રણીઓની ઉપસ્થિતી માં સેવાકાર્ય થકી કુળ દીપક નો પ્રથમ જન્મદીન ઉજવતો મોરબી નો લહેરુ પરિવાર
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના લેહરુ ડાયગ્નોસ્ટિક લેબ વાળા ડો. વિરલ ભાઈ લહેરુ એ પોતાના પુત્ર દીશાન નો પ્રથમ જન્મદીન સદાવ્રત માં મહાપ્રસાદ યોજી ઉજવ્યો હતો. આ તકે ડો. બી.કે. લહેરુ, ઉર્મિલાબેન લહેરુ, ડો. વિરલભાઈ લહેરુ, પુજાબેન લહેરુ, વિહાન લહેરુ સહીત ના તેમના પરિવારજનો એ પોતાના વરદ હસ્તે મહાપ્રસાદ વિતરણ કરી પૂ.જલારામ બાપા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મોરબી સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત લેહરુ પરિવાર દ્વારા મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તેમજ વિદેશ ગમન કરનાર કે.પી.ભાગીયા સાહેબ નુ શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના લેહરુ પરિવારે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે.
તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...