મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુ પક્ષીઓ જ્યારે ઘાયલ થાય કે બીમાર પડે છે તેવા સમયે સંસ્થા દ્વારા તે બીમાર કે ઘાયલ પશુ કે પક્ષીની તાત્કાલિક સારવાર તથા જરૂર જણાયે સારવાર કેન્દ્ર ખાતે ઇન્ડોર રાખી અતિ આધુનિક પદ્ધતિ દ્વારા સારવાર અને સેવા કરવામાં આવે છે આ સંસ્થા આગામી 22 તારીખે મોરબી અને આસપાસના વિસ્તારમાં ક્યાંય નથી તેવું અબોલ જીવો માટે અતિઆધુનિક સુવિધાઓથી સુસજ્જ દવાખાના નો શુભારંભ કરવા જઈ રહ્યું છે.
જેમાં અબોલ જીવો ને જરૂરી બ્લડ રીપોર્ટસ – Xray સહિત ઓપરેશન થિયેટર ની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે ત્યારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર કે જેના સંચાલક મોટાભાગ ના યુવાનો જ છે જેઓ મોજ શોખ કરવાની ઉંમર માં આ ઉમદા ભગીરથ કાર્ય સાથે જોડાયેલ છે ત્યારે આ યુવાનો એ ભવિષ્ય માં આદર્શ નંદી ઘર ના નિર્માણ માટે સંકલ્પ કર્યો છે જેમાં રસ્તા પર વિચરી રહ્યા છે તેવા નંદી મહારાજ માટે અદભુત સુવિધા સંપન્ન નંદી ઘર બનાવવા નો સંકલ્પ કર્યો છે તે નિમિતે આગામી 21 તારીખે ભવ્ય લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના ખ્યાતનામ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી ( ગીર ) તથા ભજનિક મિલન પટેલ સાથે અન્ય કલાકારો વેગડ સાઉન્ડ ના સથવારે ભજન અને સંતવાણી ની રમજટ બોલાવશે ત્યારે આ ભવ્યાતિભવ્ય ડાયરા ના આયોજન અંગે આજરોજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે એક અગત્યની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 200 થી વધુ સ્વયંસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી અને કાર્યક્રમને સફળ બનાવવા કટિબદ્ધ બન્યા હતા ત્યારે આ યુવાનો અતિ ઉમદા કાર્ય એ પણ નિઃસ્વાર્થ ભાવે કરી રહ્યા છે ત્યારે મોરબી તથા મોરબી જિલ્લા વાસીઓને આ કાર્યક્રમ માં તન મન અને ધનથી સહકાર આપવો એ આપડા સૌની સહિયારી જવાબદારી અને નૈતિક ફરજ છે આ કાર્યક્રમમાં કોઈ પણ માહિતી મેળવવા માટે 7574885747 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ની સીમમાં મોરબી-હળવદ રોડ ઉપર શિવ કોમ્પ્લેક્ષમાં આવેલ રાધે પાનની દુકાનમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીકનુ વેંચાણ કરતા એક ઇસમ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી...
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મોરબી અને બીઆરસી ભવન મોરબી દ્વારા “યોગ , શારીરિક શિક્ષણ અને આનંદમયી શનિવાર ” અંતર્ગત ત્રણ દિવસ ની તાલીમ નું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- મોરબી ના તાજગીભર્યા મનોહર, રમણીય અને જીવંત વાતાવરણમાં સફળતા પૂર્વક અને ખૂબ ઉત્સાહથી આયોજન થયું.
આ તાલીમમાં યોગના મહત્વ, યોગાસન, પ્રાણાયામ તથા...
પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 70%થી પણ વધારે સીટ જીતીને પ્રચંડ બહુમતીથી થી મળેલ વિજયને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ જીત એ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિની જીત છે....