હળવદ તાલુકાના કવાડીયા ગામે કોઈ કારણસર પેશકેટ નામની દવા પી જવાથી ઝેરી અસર થતાં મોહીલાનુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા ૩૯ વર્ષીય ખમ્માબેન દશરથસિંહ ડોડીયા તા ૨૦-૦૮-૨૦૨૨ ના રોજ ૧૧ વાગ્યાના અરસામાં કવાડીયા ગામે પોતાના ઘરે કોઈ કારણોસર પેશકેટ નામની દવા પી જવાથી ઝેરી અસર થતાં પ્રાથમિક સારવાર સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં લઈ વધુ સારવાર માટે રાજકોટ સદભાવના હોસ્પિટલમાં લાવતા તા.૨૩-૦૮-૨૦૨૨ ના રોજ ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ છે. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...