મોરબી ના ધોળેશ્વર રોડ પર આવેલા શ્રી શાંતિવન આશ્રમ ખાતે પ પૂ અનંત વિભૂષિત શ્રી સદગુરુ શ્રી કેશવાનંદ બાપુ ની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે શ્રી કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨/૨૦૨૩ મંગળવારે સંતવાણી,ગુરુયાગ યજ્ઞ,સત્યનારાયણ કથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે.
જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે જેમાં શૈલેષભાઈ રાવલ,લલિતાબેન ઘોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, પીયૂષભાઈ મિસ્ત્રી, સહિતના કલાકારો સંતવાણી ની રમઝટ બોલાવશે મોરબી પંથક ની ધર્મપ્રેમી જનતા ને લાભ લેવા કલ્યાણનંદ ગુરુદેવ કેશવાનંદબાપુની યાદી માં જણાવ્યું છે.
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ પાણીની પાઈપલાઈન બાબત એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે માથાકુટ થતા બંને પરિવારો દ્વારા સામ સામે છુટા હાથની મારામારી કરી ટંકારા પોલીસ મથકમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અને હાલ રાજકોટના સેટેલાઈટ ચોકમાં ઇન્દ્રપ્રસ્થ-૦૨ શેરી નં -૦૪મા...
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે વેપારી યુવક પોતાની ઓફિસે બેઠા હોય ત્યારે ત્રણ શખ્સોએ ફોન કરી એક શખ્સે રાજ્યસેવકનુ ખોટુ નામ ધારણ કરી વેપારી સાથે ફોનમા વાતચીત કરી ડરાવી ધમકાવી રૂપીયાની લેતીદેતી બાબતનો પ્રશ્ન સોલ્વ કરાવી આપવાના બહાને વેપારી સાથે ખોટા નામથી છેતરપીંડી કરી રૂ. ૩૦૦૦૦ પડાવ્યા હોવાની વેપારી...
મોરબીના શનાળા ગામના પાટીયા પાસે ગોડાઉનમાં તથા ટંકારાના લજાઈ પાસેથી ગોડાઉનમાંથી પકડાયેલ વિદેશી દારૂના ગુનાના બે આરોપીઓને રાજસ્થાન રાજ્યના જાલોર તથા બાડમેર જિલ્લા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા ગઇ તા.૨૩ જાન્યુઆરી ના રોજ ટંકારાના લજાઇ જી.આઇ.ડી.સી.માં શ્રી સંકલ્પ ગોડાઉનની સામે આવેલ બંધ ગોડાઉનમાંથી...