રક્તદાન શિબિરનો શુભારંભ સ્વામિનારાયણ, સંસ્કારધામના, મોરબીના સંતોશ્રી શાસ્ત્રી જગતપ્રસાદસ્વામી તથા પુરાણી દિવ્યપ્રકાશ સ્વામીએ કરાવેલ. આ રક્તદાન કેમ્પમાં ખાખરેચી ઉપરાંત વેજલપર, અણિયારી, કુંભારિયા વગેરે ગામના ૬૫ યુવા રક્તદાતાઓએ રક્તદાન કરેલ. કાર્યક્રમના સહયોગી દાતાઓ તરફથી રકતદાતાઓને કલમી આંબાના રોપા અને રક્ષણ માટે લાકડાના પીંજરા આપી સન્માનિત કરાયા.
હાઇસ્કૂલના કંમ્પાઉન્ડમાં સ્વામિનારાયણના સંતો તથા આગેવાનોના હસ્તે કરંજ, કદંબ, પીપળ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ.
ખાખરેચી તથા આજુબાજુના ગ્રામજનોને ૫૦૦ રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે લોકોમાં પર્યાવરણલક્ષી જાગૃતિ આવે તે માટે સંતો તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને પર્યાવરણને બચાવવા હાકલ કરેલ. અને સ્થળ પર સંતો, દાતાઓ, કાર્યકર્તાઓ, પર્યાવરણ પ્રેમીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટના કાર્યકરો તથા ડૉ. મનુભાઈ કૈલાએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. આગામી દિવસોમાં પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ દ્વારા અન્ય ગામોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કંઝારીયા કંપનીમાં પોલીસીંગ યુનિટમા ટાઇલ્સ ઉપાડવાની ફોર ક્લીપના ડ્રાઈવરે મહિલાને ઠોકર મારતા ઈજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પતિએ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીપુર રોડ પર આવેલ કંઝારીયા વીટ્રીફાઇડ કંપનીની લેબર કોલોનીમાં રૂમ નં...
આગામી ૩૧ ડીસેમ્બર અનુસંધાને મોરબી શહેરમાં ડે કોમ્બીંગ રાખી નંબર પ્લેટ વગરના વાહનો તથા બ્લેક ફીલ્મ વાળા વાહનો ચલાવતા ઇસમો તથા પ્રોહી. બુટલેગરો ઉપર મોરબી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા વિગેરે બ્રાન્ચ તથા મોરબી સીટી એ ડીવી,...
મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરની શાળાના વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની કાર્યપદ્ધતિ અંગે જ્ઞાન વિકસે તે હેતુથી મનપાની વિશેષ શૈક્ષણિક મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકયુ જ્ઞાન ન મેળવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો રહ્યો હતો. મોરબી મહાનગરપાલિકાને ૧ વર્ષ...