રક્તદાન શિબિરનો શુભારંભ સ્વામિનારાયણ, સંસ્કારધામના, મોરબીના સંતોશ્રી શાસ્ત્રી જગતપ્રસાદસ્વામી તથા પુરાણી દિવ્યપ્રકાશ સ્વામીએ કરાવેલ. આ રક્તદાન કેમ્પમાં ખાખરેચી ઉપરાંત વેજલપર, અણિયારી, કુંભારિયા વગેરે ગામના ૬૫ યુવા રક્તદાતાઓએ રક્તદાન કરેલ. કાર્યક્રમના સહયોગી દાતાઓ તરફથી રકતદાતાઓને કલમી આંબાના રોપા અને રક્ષણ માટે લાકડાના પીંજરા આપી સન્માનિત કરાયા.
હાઇસ્કૂલના કંમ્પાઉન્ડમાં સ્વામિનારાયણના સંતો તથા આગેવાનોના હસ્તે કરંજ, કદંબ, પીપળ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ.
ખાખરેચી તથા આજુબાજુના ગ્રામજનોને ૫૦૦ રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે લોકોમાં પર્યાવરણલક્ષી જાગૃતિ આવે તે માટે સંતો તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને પર્યાવરણને બચાવવા હાકલ કરેલ. અને સ્થળ પર સંતો, દાતાઓ, કાર્યકર્તાઓ, પર્યાવરણ પ્રેમીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટના કાર્યકરો તથા ડૉ. મનુભાઈ કૈલાએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. આગામી દિવસોમાં પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ દ્વારા અન્ય ગામોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરેબેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન...
મોરબીના શક્ત શનાળામા ઉમીયા સોસાયટીમાં આવેલ કનૈયા પાન કિરાણા સ્ટોરમાથી વિદેશી દારૂની ૬૫ બોટલ કિં રૂ. ૪૮૮૧૪ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...
હળવદ તાલુકાના ખોડ ગામે યુવકના ભાઈએ પોતાના ઘરે આરોપીની પત્નીને પાણી ભરવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડી વડે મારમારી મારી નાખવાની ધમકી આપી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજેશભાઈ કરશનભાઈ...