ગુજરાતના અનેક શહેરોમાં અને ગામડામાં વાવાઝોડા અને ભારે વરસાદે તંત્રની નબળી કામગીરી ની પોલ ખોલી ને રાખી દીધી છે
મોરબી જીલ્લામાં વાવાઝોડાની વધુ અસર માળિયા પંથકમાં જોવા મળી છે માળિયાના નવલખી બંદર વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હોય અને વરસાદ વરસતા તંત્રની પોલ ખુલી જવા પામી છે એક માસ પૂર્વે ખુલ્લો મુકાયેલ ઓવરબ્રિજમાં ગાબડા પડી ગયા છે
માળિયા હાઈવે પર ખીરઈ ગામ નજીક ઓવરબ્રિજ બનાવી એકાદ માસ પૂર્વે જ ખુલ્લો મુક્યો છે જોકે પુલની ગુણવત્તાનું સર્ટીફીકેટ મેઘરાજાએ આપી દીધું છે મેઘ વરસતા જ તંત્રની પોલ ખુલી જવા પામી છે એક માસ પૂર્વે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે જેમાં અનેક ગાબડા પડી ગયા છે ત્યારે પુલની ક્વોલીટી સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...