Friday, May 30, 2025

લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા શનિવારે પક્ષીઓ માટે પરબિયા, કુંડા અને પક્ષીઘરનુ વિતરણ કરાશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે પક્ષીઓ આ ગરમીમાં રાહત મેળવી શકે તેવા ઉદ્દેશથી લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા પક્ષીઓ માટે આગામી ત. ૩૧ મેં ને શનિવાર ના રોજ પરબિયા, કુંડા અને પક્ષીઘરનુ વિતરણ કરવામાં આવશે.

તમામ જીવદયા પ્રેમીઓ અને સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓને જણાવ્યું છે કે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે અને ઠંડક મળે તેઓની તૃષા છીપાવી શકે તે માટે મોરબી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર શનાળા રોડ મોરબી ઉમિયા સર્કલ પાસે તા ૩૧/૦૫/૨૦૨૫ ને શનિવારે સવારે ૦૮:૩૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી વિના મૂલ્યે પરબિયા, કુંડા અને પક્ષીઘરનુ વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા પ્રોજેક્ટ ચેરમેન લા. એ.એસ.સુરાણી, પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ત્રિભોવન ભાઈ સી ફુલતરિયા, ખજાનચી લા. મણિલાલ જે કાવર દ્વારા જીવોદય પ્રેમીઓને અપીલ કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર