લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ જનતા જનાર્દન માટે તેમનુ આરોગ્ય અને શારીરિક તંદુરસ્તી સારી રહે તે માટે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ પાસે ૧૯ પ્રકારની આયુર્વેદિક વસ્તુઓથી આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં આવ્યો હતો જે સત્યેશ્વર મહાદેવ મંદિરે સવારના ૬/૩૦ થી ૧૦/૦૦ વાગ્યા સુધી દર્શનાર્થીઓ અને વટેમાર્ગુઓ ને પાવામાં આવતો હતો.
આ આયુર્વેદિક ઉકાળો બનાવવામાં પુજારી પિન્ટુગિરી મહારાજ અને તેમના ધર્મપત્ની અવિરત સેવા હતી આ ઉકાળો પાવાની શુભ શરૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ લા હરખજીભાઈ ટી સુવારિયા સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા પાસ્ટ પ્રમુખ લા ટી સી ફુલતરિયા અને લાયન સભ્યોના હસ્તે કરવામાં આવી સતત આઠ દિવસ સુધી આશરે ૧૧૦૦ વ્યક્તિઓને સેવાભાવી સભ્યો દ્વારા પાવા માટે હાજરી આપી હતી જેમાં લા મહાદેવભાઈ ચિખલિયા લા. મણીલાલ જે કાવર
ખજાનચી લા. ચંદુભાઈ કુંડારિયા તથા કાનજીભાઈ શેરસિયા અને pfvdg લા રમેશભાઈ રૂપાલા એ સેવા સહકાર આપ્યો હતો. જેમાં પહેલુ સુખ તે જાતે નર્યા સૂત્ર ને સાર્થક કરી પુર્ણ કરવામાં આવ્યો તેમ મંત્રી લા કેશુભાઈ દેત્રોજા અને પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ની યાદી મા જણાવવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં રહેતા આધેડ એક શખ્સ પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલ હોય જે રૂપિયા અડધા ભરી દિધેલ હોય અને બીજા ભરી ન શકતા આરોપીએ આધેડને ફોન પર ટાઈમે રૂપિયા ભરી જવા ધમકી આપતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યું હતું.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર ફારુકભાઇ મોહમદભાઇ ગલેરીયા (ઉ.વ.૫૧)...
ટંકારા તાલુકાના રોહિશાળા ગામની આથમણી સિંહમાં ઘોઘમના કાંઠે આવેલ ખેતરના છેવાડે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને રોકડ રૂપિયા ૬૫૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિં રૂ.૧૬,૫૦૦ નો મુદામાલ ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાસી છુટતા તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા...
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવક તથા તેના સાથીને મારી નાખવાના ઇરાદે યુવકની ઓરડીના દરવાજા પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા દરવાજા અંદર રાવલફળી વજેરીવાસમા રહેતા માજીદભાઈ યુનુસભાઈ સંધી (ઉ.વ.૩૫) એ આરોપી બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં...