લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર હનુમાનજી મંદિરના પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.
મોરબી: લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હર હંમેશ અનેક સેવાના પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ ગુરૂવારના પવિત્ર એકાદશીના રોજ નવલખી રોડ ઉપરના રણછોડ નગર ખાતે આવેલ સાંઈ મંદિર તેમજ હનુમાનજી મંદિર ના પટાંગણમાં રણછોડ નગર વિસ્તારના બાળકોને અને પરિવારના આશરે ૩૫૦/- નાનામોટાને સાંજનું ભોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સૌજન્યથી તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર ના સહયોગથી કરાવવામાં આવ્યું.
આ તકે ઉપસ્થિત મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઈ લોરીયા, સેક્રેટરી લા. ટી.સી. ફુલતરીયા ખજાનચી લા. મણિલાલ કાવર, લા. પ્રાણજીવનભાઈ રંગપડીયા, લા. મહાદેવભાઈ ચીખલીયા, લા. મહાદેવભાઈ ઉટવાડીયા તેમજ લા નાનજી ભાઈ મોરડીયા મંદિરના મહંત બાબુભાઈએ બાળકોને તેમજ દરેકને હરિહરની હાકલ કરી પ્રથમ દરેક દેવોને લાયન્સ ક્લબના પ્રમુખ અને લાયન્સ સભ્યો અને મહંત બાબુભાઈના હસ્તે થાળ ધરાવી હનુમાનજી મંદિરનાં પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવેલ તેમ મંત્રી ટી.સી. ફુલતરીયા એ જણાવેલ.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...