મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં ખજાનચી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ નાં પ્રમુખ ટી.સી. ફુલતરિયા તેમજ મનીશાબેન ત્રિભોવનભાઈ ફૂલતરીયા પરિવારના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલનાં ઉપક્રમે વિના મુલ્યે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્ય પીપળીયા ચાર રસ્તા, કેપી ટેક નોનવુવન ઈન્ડિયા પ્રા.લી. કમ્પની ખાતે યોજાયો , આ કેમ્પમાં કુલ ૧૩૩ દર્દીઓને ચેકપ કરવામાં આવ્યા અને તેમાંથી ૨૫ જેટલા લોકોને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ, રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા અને ૩૩ જેટલા ઓર્થોપેડીક વિભાગમાં લોકોને તપાસતા જેમાંથી ૧૦ જેટલા લોકોને વધારાની સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા.
આ કેમ્પમાં ઉપસ્થિતિ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ)નાં દ્વિતિય વાઈસ ડિષ્ટ્રિકટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ આ કેમ્પનાં દાતા લાયન ટી.સી. ફુલતરીયા પરિવારનો આભાર વ્યક્ત કરેલ સાથે તેમણે જણાવેલકે આ વિના મૂલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ દર મહિનાની દશ તરીખે પીપળીયા,ચોકડી, ખાતે માળિયા તેમજ આમરણ ચોવીસીનાં છેવાડાનાં લોકો માટે આ સેવા કેમ્પ યોજાશે. તો આ કેમપનો વધુને વધુ લોકો લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવા ઊપસ્થિત સર્વેને વિનંતી કરેલ
મોરબી એક વિકાસની હરણફાળ ગતિએ પ્રગતિ કરે છે. ત્યારે મોરબીમાં જાહેર શૌચાલયના ખૂબ જ અભાવ છે. જે સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોન 2 સામાકાંઠા વિસ્તારમાં જાહેર શૌચાલયની માંગણી કરવામાં આવી છે.
મોરબી ઝોન-૨ ગણાતા સામાકાંઠા વિસ્તાર કે જ્યાં પ્રાથમિક સુવિધા નો ખૂબ જ અભાવ છે. સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ...
ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેથી બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં ભારત કો...
માળીયા થી રાજકોટ જતા અને મોરબી મધ્યે થી નીકળતા હાઇવેની વચ્ચે નાખેલ સ્ટ્રીટ લાઇટો જે ભક્તિનગર સર્કલ બ્રિજ થી ભગવાન પરશુરામ બ્રિજ સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા મોરબીના જાગૃત નાગરિક ચાવડા નિલેષભાઈએ કલેકટરને રજૂઆત કરી માંગ છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે હાલમાં મોરબી નગરપાલિકામાંથી...