વેપારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો સાથે લોક દરબાર યોજી પ્રશ્નો સાંભળતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી.
વાંકાનેર શહેર ખાતે ગુરુવારે સાંજના સમયે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા વાંકાનેર વિસ્તારના વેપારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી અને લોકોના પ્રશ્નો સાંભળી શક્ય તમામનું નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ગઇકાલે સાંજે 4 વાગ્યે વેપારીઓ સાથે અને પાંચ વાગ્યે સામાજિક તથા રાજકીય આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વડા દ્વારા તમામ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ લોક દરબારમાં મોટાભાગના લોકો દ્વારા વાંકાનેર શહેરની માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા બાબતે જ રજુઆતો કરવામાં આવી હતી, આ સાથે અન્ય રજૂઆતો પણ સાંભળી અને શક્ય તમામના નિરાકરણની ખાત્રી જીલ્લા પોલીસ વડાએ આપી હતી.
ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા કિશન ઉર્ફે ક્રિશ મુકેશભાઈ માલકીયા (ઉ.વ.૧૯) એ પોતાના ઘરે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ...
હળવદ તાલુકાના ચરાડવા ગામે પુત્ર કાંઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પીતાએ તેને અવારનવાર કામ ધંધો કરવાનું કહેતા હોય ત્યારે પિતા પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય જેથી પિતાએ જ પોતાના પુત્રને ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ...
મોરબી શહેરમાં મુસાફરને રીક્ષામાં બેસાડી રૂપીયા સેરવી લીધા હોવાની ઘટનાઓ અગાઉ પણ અનેક વખત સામે આવી છે ત્યારે ફરી મોરબીમા રીક્ષામાં બેસાડી મુસાફરની નજર ચૂકવી રોકડ સેરવી લેતી ટોળકી સક્રિય બની છે. ત્યારે મોરબી નવા ડેલા રોડ પરથી રીક્ષામાં બેસલ એક વૃદ્ધના ખીસ્સામાંથી ઠગ ટોળકીએ રૂપિયા ૧૮૦૦૦ સેરવી લીધા...