મોરબી મચ્છુ -02 ડેમનો એક દરવાજો – અડધો ફૂટ ખોલાયો : નીચાણવાળા ગામોને એલર્ટ કરાયો
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમમાં નર્મદા પાણીની આવક ચાલુ હોય, ડેમની સંગ્રશક્તિના ૧૦૦% ડેમ ભરાય ગયેલ છે. ડેમનો ૧.દરવજો…૦.૫ ફુટ ખોલવમાં આવેલ છે.
આથી ડેમના નીચવાસના ગામો જેવા કે મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપરનદી, ગુંગણ, સોખડા, અમરનગર, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના અપાઈ છે.