મોરબી: માળીયા (મીં) હાઇવેથી માળીયા ગામને જોડતો મહત્વનો રસ્તો તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલે વહીવટી તંત્રને રસ્તો બનાવવાની રજુઆત કરેલ છે.
મોરબી જિલ્લાના માળીયા (મી) ગામ સ્ટેટ હાઇવેથી માળીયા ગામ સુધીનો રોડ ખુબજ બિસ્માર હાલત માં છે, લોકો ને જવા આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડ ચોમાસામાં ભારે વરસાદને કારણે તુટી ગયેલ છે તેમજ રોડ ઉપરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે આ તુટેલ રોડ રસ્તાના કારણે વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી પડે છે. આ ખરાબ રોડને કારણે ખુબજ અકસ્માત થાય છે. લોકો મણકા અને કમરના દુખાવાનો ભોગ બને છે. જેના કારણે આર્થિક પરેશાની પણ ભોગવીપડે છે. તો માળીયા હાઇવેથી માળીયા ગામને જોડતો આ મહત્વનો રસ્તો હોય તેથી તે તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ દ્વારા વહીવટી તંત્ર પાસે રોડ બનાવવાની રજુઆત કરેલ છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...