મોરબી: માળીયા (મીં) હાઇવેથી માળીયા ગામને જોડતો મહત્વનો રસ્તો તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલે વહીવટી તંત્રને રસ્તો બનાવવાની રજુઆત કરેલ છે.
મોરબી જિલ્લાના માળીયા (મી) ગામ સ્ટેટ હાઇવેથી માળીયા ગામ સુધીનો રોડ ખુબજ બિસ્માર હાલત માં છે, લોકો ને જવા આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડ ચોમાસામાં ભારે વરસાદને કારણે તુટી ગયેલ છે તેમજ રોડ ઉપરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે આ તુટેલ રોડ રસ્તાના કારણે વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી પડે છે. આ ખરાબ રોડને કારણે ખુબજ અકસ્માત થાય છે. લોકો મણકા અને કમરના દુખાવાનો ભોગ બને છે. જેના કારણે આર્થિક પરેશાની પણ ભોગવીપડે છે. તો માળીયા હાઇવેથી માળીયા ગામને જોડતો આ મહત્વનો રસ્તો હોય તેથી તે તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ દ્વારા વહીવટી તંત્ર પાસે રોડ બનાવવાની રજુઆત કરેલ છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ 71 વર્ષની વયે તારીખ 14/09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 16/09 /2025 ને મંગળવારના રોજ સાંજે 08:00 થી રાતના 10:00 કલાક સુધી પટેલ સમાજ વાડી સરવડ ગામ ખાતે...
મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા...