મોરબી: માળીયા (મીં) હાઇવેથી માળીયા ગામને જોડતો મહત્વનો રસ્તો તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલે વહીવટી તંત્રને રસ્તો બનાવવાની રજુઆત કરેલ છે.
મોરબી જિલ્લાના માળીયા (મી) ગામ સ્ટેટ હાઇવેથી માળીયા ગામ સુધીનો રોડ ખુબજ બિસ્માર હાલત માં છે, લોકો ને જવા આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રોડ ચોમાસામાં ભારે વરસાદને કારણે તુટી ગયેલ છે તેમજ રોડ ઉપરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે આ તુટેલ રોડ રસ્તાના કારણે વાહન ચાલકો અને લોકોને મુશ્કેલી પડે છે. આ ખરાબ રોડને કારણે ખુબજ અકસ્માત થાય છે. લોકો મણકા અને કમરના દુખાવાનો ભોગ બને છે. જેના કારણે આર્થિક પરેશાની પણ ભોગવીપડે છે. તો માળીયા હાઇવેથી માળીયા ગામને જોડતો આ મહત્વનો રસ્તો હોય તેથી તે તાત્કાલિક અસરથી બનાવવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે, તેથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ દ્વારા વહીવટી તંત્ર પાસે રોડ બનાવવાની રજુઆત કરેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...