માળીયા મીંયાણામા પોતાના પિયર કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા માલાણી શેરીમાં રહેતા મુસ્કાનબેન આસ્વાદભાઈ જામ (ઉ.વ.૨૨) નામની મહિલાએ કોઈ પણ કારણસર પોતાના પીયર હાજીભાઈના ઘરે ગળાફાંસો ખાઇ જતા મુસ્કાનબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા મીંયાણા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
