માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન પર્વે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
આગામી તા 23ને મંગળવારના રોજ હનુમાન જયંતીનો પર્વ હોય આ પર્વ ની સમગ્ર મોરબી જિલ્લામાં હનુમાન મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિરે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ યજ્ઞનો સવારે 8 કલાકે થશે. ત્યારબાદ સવારે 9-30 કલાકે ધ્વજારોહણ કરાશે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને સાંજે 4 વાગ્યે બીડું હોમવામાં આવશે. યજ્ઞના આચાર્ય પદે તરૂણભાઈ દવે (નાની વાવડી) બિરાજશે. તો સર્વે ભક્તજનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા જખવાડા હનુમાનજી મંદિરના મહંત અને સમસ્ત દેરાળા ગામ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. મહત્વનું છે કે, જખવાડા હનુમાનજીના મંદિરે દર મહિનાની 2 તારીખ 12 કલાકની અખંડ ધૂન યોજાય છે.
દારૂ બિયરના જથ્થા સાથે કુલ મળી કુલ 59.79 લાખના મુદ્દામાલ સાથે એક ઝબ્બે
હળવદ-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાબા રામદેવ હોટલ સામેથી રોડ ઉપરથી ટ્રક ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલ અલગ-અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૧૧૦૪ કિ.રૂ.૧૪,૩૫,૨૦૦/- તથા બિયર ટીન નંગ-૬૦૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૫૯,૭૯,૨૦૦/- ના મુદામાલ...
મોરબી તાલુકાના સોખડા નવા ગામે રહેતા યુવકે તેમના કાકા સાથે પારીવારીક મનદુઃખ અંગે સમાધાન કરેલ હોય જે આરોપીઓને સારૂં નહીં લાગતાં જેનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સોખડા ગામે રહેતા...
મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરોએ માજા મુક્યા છે મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં બેફામ વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીના મકનસર ગોકુલનગરમા રહેતા યુવકે આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જેની મૂળ મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી યુવકની સહી વાળા બે ચેક...