માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિર ખાતે હનુમાન જયંતીના પાવન પર્વે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
આગામી તા 23ને મંગળવારના રોજ હનુમાન જયંતીનો પર્વ હોય આ પર્વ ની સમગ્ર મોરબી જિલ્લામાં હનુમાન મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માળિયા મિયાણા તાલુકાના દેરાળા ગામમાં આવેલા પ્રસિદ્ધ જખવાડા હનુમાનજી દાદાના મંદિરે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ યજ્ઞનો સવારે 8 કલાકે થશે. ત્યારબાદ સવારે 9-30 કલાકે ધ્વજારોહણ કરાશે. બપોરે 11-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને સાંજે 4 વાગ્યે બીડું હોમવામાં આવશે. યજ્ઞના આચાર્ય પદે તરૂણભાઈ દવે (નાની વાવડી) બિરાજશે. તો સર્વે ભક્તજનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા જખવાડા હનુમાનજી મંદિરના મહંત અને સમસ્ત દેરાળા ગામ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. મહત્વનું છે કે, જખવાડા હનુમાનજીના મંદિરે દર મહિનાની 2 તારીખ 12 કલાકની અખંડ ધૂન યોજાય છે.
મોરબી: ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.
ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મેના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે...
મોરબી: મોરબીમાં રહેતા યુવકની પત્ની આરોપીને પસંદ જેથી તેની પત્ની સાથે લગ્ન કરવાનું કહેતા યુવકે ઈન્કાર કરતા એક શખ્સે યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી જેથી આ બનાવ અંગે મોરબી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 2 લાખનો દંડ ભરવા હુકમ કરી દંડની આ રકમ મૃતકના વાલી...