મોરબી: માળિયા તાલુકાના ઘાટીલા ગામે ભાભીનો પીછો કરતો હોવાની શંકાએ સમજાવવા જતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ માળિયા મી પોલીસ મથકે સામસામી ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતિભાઈ સોમાભાઇ ઉપસરીયા (ઈ.વ.૩૫) એ તેમના જ ગામના મનીષભાઈ મનસુખભાઇ ધોરકડીયા (ઈ.વ.૨૪), શંકરભાઈ બીજલભાઈ શાકરીયા (ઈ.વ.૫૪), તથા રમેશભાઈ વિડજીભાઈ ધોરકડીયા (ઉ.વ.૪૫) વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૦-૨૦૨૨ના રોજ રાત્રીના આશરે દશક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાભીને આ કામના આરોપી મનિષભાઇ પાછળ પાછળ પીછો કરતા હોવાની શંકા હોય જેથી આ કામના ફરીયાદી આરોપી મનિષભાઇને આ બાબતે સમજાવવા જતા આરોપી મનિષભાઇ ફરીયાદી જયંતિભાઈ સાથે જપાજપી કરી ગાળો આપી તથા સાહેદ કાંતીભાઈને પગમા તથા સાહેદ અશોકભાઈને માથામા છુટા પથ્થર વડે ઈજા પહોચાડી તથા આરોપી શંકરભાઈ અને રમેશભાઈ નાઓએ ફરિયાદીને માથામા લોખંડની પાઈપ વડે તથા શરીરે ઈજા પહોચાડી ફરીયાદી તથા સાહેદને મુંઢ માર માર્યો હોવાની જયંતિભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામે પક્ષે માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા મનીષભાઈ મનસુખભાઇ ધોરકડીયાએ તેમના જ ગામના જયંતિભાઈ સોમાભાઇ ઉપાસરીયા, અશોકભાઈ સોમાભાઇ ઉપાસરીયા, અને કાંતિભાઇ બચુભાઈ ઉપાસરીયા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં વળતી ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે દશક વાગ્યાના અરસામાં આરોપી જયંતિભાઈ,તથા અશોકભાઈ તથા કાંતિભાઇ નાઓએની ભાભીની છોકરીનો પીછો ફરીયાદી કરતો હોય તેવી શંકા કરી આરોપીઓ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી લાકડી વડે ફરીયાદી તથા સાહેદો ઉપર હુમલો કરી માથા તથા શરીરે મુંઢમાર માર્યો હોવાની મનિષભાઇએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા માળિયા મી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...