મોરબી: માળિયા તાલુકાના ઘાટીલા ગામે ભાભીનો પીછો કરતો હોવાની શંકાએ સમજાવવા જતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષો એ એકબીજા વિરુદ્ધ માળિયા મી પોલીસ મથકે સામસામી ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતિભાઈ સોમાભાઇ ઉપસરીયા (ઈ.વ.૩૫) એ તેમના જ ગામના મનીષભાઈ મનસુખભાઇ ધોરકડીયા (ઈ.વ.૨૪), શંકરભાઈ બીજલભાઈ શાકરીયા (ઈ.વ.૫૪), તથા રમેશભાઈ વિડજીભાઈ ધોરકડીયા (ઉ.વ.૪૫) વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૦-૨૦૨૨ના રોજ રાત્રીના આશરે દશક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાભીને આ કામના આરોપી મનિષભાઇ પાછળ પાછળ પીછો કરતા હોવાની શંકા હોય જેથી આ કામના ફરીયાદી આરોપી મનિષભાઇને આ બાબતે સમજાવવા જતા આરોપી મનિષભાઇ ફરીયાદી જયંતિભાઈ સાથે જપાજપી કરી ગાળો આપી તથા સાહેદ કાંતીભાઈને પગમા તથા સાહેદ અશોકભાઈને માથામા છુટા પથ્થર વડે ઈજા પહોચાડી તથા આરોપી શંકરભાઈ અને રમેશભાઈ નાઓએ ફરિયાદીને માથામા લોખંડની પાઈપ વડે તથા શરીરે ઈજા પહોચાડી ફરીયાદી તથા સાહેદને મુંઢ માર માર્યો હોવાની જયંતિભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામે પક્ષે માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા મનીષભાઈ મનસુખભાઇ ધોરકડીયાએ તેમના જ ગામના જયંતિભાઈ સોમાભાઇ ઉપાસરીયા, અશોકભાઈ સોમાભાઇ ઉપાસરીયા, અને કાંતિભાઇ બચુભાઈ ઉપાસરીયા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં વળતી ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે દશક વાગ્યાના અરસામાં આરોપી જયંતિભાઈ,તથા અશોકભાઈ તથા કાંતિભાઇ નાઓએની ભાભીની છોકરીનો પીછો ફરીયાદી કરતો હોય તેવી શંકા કરી આરોપીઓ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી લાકડી વડે ફરીયાદી તથા સાહેદો ઉપર હુમલો કરી માથા તથા શરીરે મુંઢમાર માર્યો હોવાની મનિષભાઇએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા માળિયા મી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની...
રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન માનનીય મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સાથે લાતી પ્લોટ વિસ્તારની પાણી ભરાવવાની તથા ખરાબ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે કમર કસી છે.
રાજ્ય સરકારના માર્ગ સમારકામ...