માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સોનલબેન અરવિંદભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૨) રહે. વવાણીયા વાળા પોતાના ઘરે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
