મોરબી: માળિયા (મી) તાલુકાના વીર વીદરકા ગામે કળબના પૈસા બાકી નીકળતા હોય જેની માંગણી કરતા સારૂ ન લાગતા ઉશ્કેરાઇ જઇ બે શખ્સોએ આધેડને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના પંચવટી (ખીરઇ) ગામે રહેતા ભુદરભાઈ કાનજીભાઇ સુરાણી (ઉ.વ.૬૦) એ આરોપી રાજુભાઇ માલાભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ માલાભાઈ ભરવાડ રહે બંને વીર વીદરકા ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વીર વીદરકા ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે ફરીયાદીએ આરોપી રાજુભાઇ ભરવાડને કળબ વેચાતી આપેલ હોય અને જેના પૈસા લેવાના બાકી હોય જે પૈસા લેવા જતા અને માંગણી કરતા સારૂ નહી લાગતા આરોપી રાજુભાઇ ભરવાડ તથા આરોપી ઘોઘાભાઈ ભરવાડે ભુંડા બોલી ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ ઝપાઝપી કરતા આરોપી રાજુભાઇ ભરવાડના હાથમા પહેરેલ કડુ માથામા વાગી જતા સામાન્ય ઇજા થયેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભુદરભાઈ કાનજીભાઇ સુરાણીએ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ નોંધી તપાસ હાથ ધરી છે.
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...