મોરબી: માળિયા (મી) તાલુકાના વીર વીદરકા ગામે કળબના પૈસા બાકી નીકળતા હોય જેની માંગણી કરતા સારૂ ન લાગતા ઉશ્કેરાઇ જઇ બે શખ્સોએ આધેડને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના પંચવટી (ખીરઇ) ગામે રહેતા ભુદરભાઈ કાનજીભાઇ સુરાણી (ઉ.વ.૬૦) એ આરોપી રાજુભાઇ માલાભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ માલાભાઈ ભરવાડ રહે બંને વીર વીદરકા ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વીર વીદરકા ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે ફરીયાદીએ આરોપી રાજુભાઇ ભરવાડને કળબ વેચાતી આપેલ હોય અને જેના પૈસા લેવાના બાકી હોય જે પૈસા લેવા જતા અને માંગણી કરતા સારૂ નહી લાગતા આરોપી રાજુભાઇ ભરવાડ તથા આરોપી ઘોઘાભાઈ ભરવાડે ભુંડા બોલી ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ ઝપાઝપી કરતા આરોપી રાજુભાઇ ભરવાડના હાથમા પહેરેલ કડુ માથામા વાગી જતા સામાન્ય ઇજા થયેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભુદરભાઈ કાનજીભાઇ સુરાણીએ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. સતત હેરાનગતિ અને ભયના માહોલથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના બનેવીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને...