મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમના દરવાજાના રીપેરીંગ કામ અર્થે તા.૧૨/૦૫/૨૦૨૪ થી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-3 ડેમની હેઠવાસમા આવતા
માળીયા તાલુકાના (૧)વીરવદરકા (૨)દેરાળા (૩)નવાગામ (૪)મેધપર (૫)હરીપર (૬)મહેન્દ્રગઢ (૭)ફતેપર (૮)સોનગઢ (૯)માળિંયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર ગામોનો સમાવેશ થાય છે તથા મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પરથી તેમજ નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી સંદેશ આપવામા આવી છે
મોરબી: મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે શિવમ હાઇટ્સમા કામ કરતી વખતે ઉપરથી ઈંટ પડતા યુવાનનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ જયકુમાર રાધેલાલ યાદવ (ઉ.વ.૩૯) રહે. મીલન પાર્ક મહેન્દ્રનગર મોરબીવાળા શિવમ હાઇટ્સમા કામ કરતા હતા ત્યારે ઈંટ માથાના ભાગે પડતા ઇજા થતા પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પિટલ મોરબીમાં લઈ વધુ સારવાર માટે...