મોરબી: મોરબી જિલ્લા બાર એસોસિયેશન દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે. પોકસો કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતુ.
સૌ પ્રથમ મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી ડીસ્ટ્રીકટ જજને સન્માન કરવામાં આવેલ તેમજ નવા નિમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડાને મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના એડી ડીસ્ટ્રીકટ જજ પંડયાનુ સન્માન મોરબી બારના ઉપપ્રમુખ ટી.બી. દોશી દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના ચીફ જયુડી. જજ રાવલનુ સન્માન મો૨બી બા૨ના જોઈન્ટ સેક્રેટરી ઉદયસીંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના પ્રિન્સી. ફેમીલી જજ વાનાણી, ઈજનેર, ચંદનાની, ખાન, જાડેજાનુ તથા લીગલ સર્વિસ ઓથોરીટીના જજ પારેખનુ સન્માન મોરબી બારના કારોબારી સભ્ય સાગર પટેલ, બ્રિજરાજસીહ ઝાલા, કરમશી પરમાર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થીત રહેલ સબકારી વકીલ જાની, દવે, કારીઆ, ચીસ્તી, નીલીમાબેન સહિતનાનુ પણ સન્માન કરવામાં આવેલ. તેમજ મો૨બી બારના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહેતા દીલીપભાઈ અગેચાણીયાનુ સન્માન તમામ જુનીયર એડવોકેટ દ્રારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં આભાર દર્શન મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા તથા જીતેનભાઈ અગેચાણીયા દ્રારા કરવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવા માટે બારના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવેલ હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...