મોરબી: ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી.
ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ રૂપે અતિગરીબ પરિવાર તથા ગરીબ ગંગા સ્વરૂપ બહેનોને દર મહિનાની ૧ થી ૫ તારીખની અંદર તેમની જરૂરિયાત મુજબ અનાજ કીટ વિતરણ કરવામાં આવે છે. આ કીટમા આશરે ૧૨ ( બાર) વસ્તુઓ આપવામાં આવે છે આ તમામ દાન સમાજમાં ધુન ભજન કરીને ત્યાં ભાવરૂપી મટકી ફેરવવામાં આવે છે અને તેમાંથી મળેલા દાનનો ઉપયોગ આવા સેવાયજ્ઞમાં કરવામાં આવે છે ચિત્રા હનુમાનજી મંડળના સભ્યો થકી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે.
મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપીયા, ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિ.રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ સાથે ચાર ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને...
મોરબી જિલ્લામાં EMRI Green Health Services દ્વારા સંચાલિત મોબાઇલ હેલ્થ યુનિટ (MHU)ના સ્ટાફ દ્વારા 1 જુલાઈના રોજ “ડોક્ટર્સ ડે” નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અહમ ભૂમિકા ભજવતા ડોક્ટરોના ઉત્સાહવર્ધન અને તેમના યોગદાનને માન આપવાના હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના CDHO સાહેબ...
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા સતવારા સમાજની વાડી, વાઘપરા, મોરબી ખાતે મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો હતો.
આ સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને કાયદા નિષ્ણાંત નસીમબેન ખોખર દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ વિષે વિસ્તૃત સમજ આપતા જો કોઈ મહિલા...