મોરબી સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યાઓ ભરવા કલેકટરને રજૂઆત
મોરબી સિટી મામલતદાર ઓફીસમા તલાટી મંત્રી, મધ્યાનભોજનમા તથા એટીવીટી શાખામાં ઘણી જગ્યા ખાલી છે જે ભરવા બાબતે પૂર્વ સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી. જોષીએ કલેકટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક જગ્યાઓ ભરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટી મંત્રી આશરે દશેક (૧૦) જગ્યા ખાલી છે જે ધણા સમયથી ખાલી છે અરજદારને ઘણીજ તકલીફ પડે છે તેમજ મધ્યાન ભોજન નાયબ મામલતદારની જગ્યા પણ ખાલી છે જેથી હાલમાં ચાર્જ મોરબી તાલુકા પાસે છે જે મોરબી સીટી નાયબ મામલતદાર મધ્યાન ભોજનની જગ્યા ભરવી જરૂરી છે.
તેમજ એટીવીટીમા પણ ઘણી જગ્યાઓ ખાલી પડેલ છે જેથી અરજદારને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહિયાં દરરોજના પચાસથી એકસો જેટલા અરજદારો આવે છે પરંતુ તેમને બેસવા માટે ફકત ત્રણ ખુરશીઓ રાખેલ છે જયારે આપની કચેરીમાં લીફટની બાજુમાં દસ જેટલી ખુરશીઓ બીન જરૂરી પડેલ છે જે વ્યાજબી નથી તે વધારાની ખુરશીઓ મોરબી સીટી મામલતદારને ફાળવી આપવી જોઈએ જેથી અરજદાર બેસી શકે આજે અરજદાર જેમ જેલમાં સજા ભોગવતા હોય તેમ લોબીમાં નીચે બેઠા હોય છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોરબી તાલુકાના મામલતદારની બદલી થયેલ છે પરંતુ જયા સુધી કાયમી મામલતદારની નિમણુક ન થાય ત્યાં સુધી તેના છુટા ન કરવા જોઈએ ટુકા ગાળામાં તેમની બદલી કરેલ છે તે પણ તપાસનો વિષય છે આ મામલતદાર મોરબી તાલુકામાં આવ્યાબાદ એકપણ ફરિયાદ તેમના વિરૂધ નથી સારા અને હોશીયાર મામલતદાર છે અને પ્રજાને તેમની કામગીરીથી પુરો સંતોષ છે અને દરેક અરજદારને વ્યવસ્થીત સાંભળે છે જયારે આવા મામલતદારની બદલી થાય જે વ્યાજબી નથી જેથી આ બાબતે પણ યોગ્ય કરવા માંગ કરી છે.