મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મરણ જનાર પુરુષ ઉ.વ. 40 મોરબી તા.14-06-2022 ના 3:30 કલાકે પહેલા કોઈ વખતે મોરબી તાલુકાના મોરબી હળવદ હાઈવે રોડ નીચી માંડલ ગામની સીમ સેગા સીરામિકના કારખાનાની બાજુમાં આવેલ બાબુભાઈ પ્રભુભાઈ કુંડારીયાના ખેડાણ લાયક ખેતરમાં કોઇ પણ કારણોસર મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હોય આ લાશનું મોરબી સરકારી સિવિલ હોસ્પીટલ ખાતે પી.એમ. કરાવવામાં આવેલ છે.
મરણજનારની લાશને મોરબી સરકારી સિવીલ હોસ્પિટલના પી.એમ. રૂમના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ હોય જે પુરૂષ વાદળી કલરનો સફેદ લાઈનીંગ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ તથા ગળાના ભાગે કાળા કલરનો ધાર્મિક દોરો તથા જમણા હાથે કલાઈના ભાગે અગ્રેજીમાં MINA લખાવેલ છે. મરણજનારના નામની કે તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય તેથી તેઓના વાલીવારસોએ તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ-૦૨૮૨૨-૨૪૨૫૯૨ તેમજ પોલીસ હેડ કોસ્ટેબલ જે.પી.વસીયાણીનો મોબાઈલ નંબરઃ-૮૩૨૦૪૩૨૩૭૮, ૯૮૨૫૫૮૫૪૮૭ પર સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...