મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ મોરબી, માળીયા ટંકારા,વાંકાનેર અને હળવદ વગેરે પાંચ તાલુકાની 585 શાળાઓમાં 3400 જેટલા શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે, નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સતત કાર્યરત, સતત ચિંતન, મનન અને મંથન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા દ્વારા કરવામાં આવે છે.
શાળાઓમાં ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવી, તમામ શિક્ષકો માટે આઈકાર્ડ બનાવવા, શાળાના સમયનો પ્રશ્ન હોય કે ક્ષુલ્લક કારણોથી વર્ષોથી અટવાયેલા શિક્ષકોના પ્રશ્નો સાંભળી હલ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ચેરમેન જાણીતા છે, તેઓ શિક્ષકોના નાનામાં નાના પ્રશ્નો સાંભળી એને સોલ કરવા હર હંમેશ તત્પર રહેતા હોય છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ.મહેતા શિક્ષકોના એકપણ પ્રશ્નો પેંડીગ ન રહે એ માટે સતત કાર્યરત રહેતા હોય છે ત્યારે ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં નથુભાઈ કડીવાર અને એન.એ.મહેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુસ્તક અર્પણ કરી સાલ ઓઢાડીને, ભારતમાતાની છબી અર્પણ કરી સન્માન કરી ઉત્કૃષ્ઠ કામગીરીની નોંધ લેવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત...
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...
મોરબીના શનાળા રોડ પર દરીયાલલ સ્કેવરમા બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા સ્પાના સંચાલક સંચાલકની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી...