ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે
જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, એમનામાં રહેલા કલા-કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગાયન,વાદન,લેખનની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા તાલુકાના લખધીરણગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન બચુભાઈ પીપળીયાએ સાહિત્ય લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.વિડજા,જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા જીવતીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે અને એમની ઉત્તરોતર ખુબજ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...