મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલમાં બંદીવાન કેદી ભાઈઓ માટે જનરલ બીમારી તેમજ ચામડીના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન સારવારના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ આજે તા.૧૪-૧૨-૨૦૨૩ ને ગુરૂવારના રોજ મોરબી સીવીલ હોસ્પિટલના સહયોગથી મોરબી સબ જેલ, ખાતે જેલમાં રહેલ બંદીવાન કેદી ભાઈઓ માટે જનરલ બીમારી તેમજ ચામડીના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર, પી.એમ.ચાવડા, અને જેલ સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી.
મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની હાજરીમાં ધર્મસભા પણ યોજાઇ હતી. ત્યારબાદ તમામ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જેનો હજાર લોકોએ લાભ લીધેલ હતો.
મોરબી નજીકના શારદાનગર...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ જીલ્લા કલેકટર કચેરીનું તંત્ર સાવ ખાડે ગયુ છે . સ્ટાફ પર કોઈ જાતનું કંટ્રોલ ન હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે કામગીરી સમયસર થતી નથી જેથી આ બાબતે યોગ્ય કરવા અન્ન અને નાગરિક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી. જોશીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માંગ...