મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત શરદપુનમ રાસ ગરબા મહોત્સવ ૨૦૨૪ નું આયોજન તા ૧૯ ૧૦ ને શનિવારે રાત્રે ૮ થી ૧૨ સાઈબાગ ગ્રાઉન્ડ ઉમા ટાઉનશીપ સામે મોરબી ૨ ખાતે રાખવામાં આવ્યું છે.
આ રાસ ગરબા મહોત્સવ માં મોરબી ગોસ્વામી સમાજ નું ગૌરવ એવા જાણીતા ભજનિક કલાકાર રીટા ગોસ્વામી ગ્રુપ ઓર્કેસ્ટ્રા ટિમ રાસ ગરબાની રમઝટ બોલાવશે આ રાસ ગરબા મહોત્સવ માં મોરબી સીટી તાલુકા ના ગામડાઓ માં રહેતા તમામ ગોસ્વામી સમાજ પરિવારો ને પધારવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે વધુ માં આ કાર્યક્રમ માં ટ્રેડીશનલ ડ્રેસ માં જે આવશે તેને ઇનામ આપવામાં આવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ તેજશગીરી, બળદેવગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...