કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી ના વિદ્યાર્થીને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજનો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી દરેક માં વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં પાસ થયેલા વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં ૧ થી 3 નંબર આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં મોરબી શહેર અને મોરબી જીલ્લાના તાલુકામાં વસતા દશનામ ગોસ્વામી સમાજના બાળકોને વિધાર્થીઓ ભાગ લઈ શકશે દરેક વિધાર્થીઓ તા. ૦૫-૦૭-૨૦૨૫ સુધીમાં નીચેના સરનામે માર્કશીટની ઝેરોક્ષ નકલમાં પાછળ નામ તેમજ મોબાઈલ નંબર લખી પહોંચતી કરવી માર્કશીટની નકલ આપવા માટે મંડળના પ્રમુખ, સભ્યો, હોદેદારો તેમજ કાર્યાલય શિવ ડિજિટલ શિવમ પ્લાઝા મિલન પાર્ક મહેન્દ્રનગર મોરબી ૨ પ્રમુખ તેજશગીરી મો:- 98795 90146 તેમજ ગોસ્વામી ન્યૂઝ એજન્સી સરદારબાગ પાસે શનાળા રોડ મોરબી, મોમાઈ ડેરી એન્ડ બેકરી મીરા પાર્ક વાવડી રોડ મોરબી, ગુરૂકૃપા સિલેકશન તખ્તસિંહજી રોડ મોરબી ખાતે પહોંચડવી સમારોહમાં બળવંતગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
મોરબી મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરની હદમાં આવેલા મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જય છે તે નિવારવા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને દિવસેને દિવસે વધતી ટ્રાફિક સમસ્યાઓ પર નિયંત્રણ મેળવવા માટે અને જે તે રસ્તાઓ પર વાહનો પાર્ક...
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ પોતાનાં પ્રોપર્ટી ટેક્સના સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11(અગીયાર) કલસ્ટર ઓફિસર્મા સવારે 10:30 થી બપોરના 12:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે.
તેમજ મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે મહાનગરપાલિકાની https://mmcgujarat.in/મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે....
મહાન ક્રાંતિકારી, વીર સપૂત, આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આ દિવસને ગુમનામી દિવસ તરીકે મનાવે છે.
તુમ મુજે ખુન દો મેં તુમે આઝાદી દુંગા સૂત્ર આપનાર સુભાષચંદ્ર બોઝ જે દેશની આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધું હતું ,વર્ષ 1945માં...