મોરબીમાં GIDM (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ), GSDMA અને જિલ્લા વહીવટીતંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મોરબી જિલ્લાના સહયોગથી કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા એન્જિનિયરો માટે ભૂકંપનું જોખમ ઘટાડવા અને વ્યવસ્થાપન ૨ દિવસીય જિલ્લા કક્ષાના તાલીમ કાર્યક્રમનું કલેક્ટર કચેરી ખાતે અયોજન કરવામાં આવ્યું હતું.
૨૦૦૧ માં કચ્છ-ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોરબી જિલ્લો પણ ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. જટિલ માળખાકીય સુવિધાઓ સહિત ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને સામાન્ય જન-જીવન પણ ખોરવાઈ ગયું હતું. જેથી પૂર્વ તકેદારીના પગલારૂપે આવી તાલીમ અગત્યનો ભાગ ભજવે છે.
BMTPC-એટલાસ મુજબ, મોરબી સિસ્મિક ઝોન – IV માં આવેલું છે જે ઉચ્ચ જોખમી ક્ષેત્ર છે એટલે કે રિક્ટર સ્કેલ મુજબ ધરતીકંપની શક્યતાઓ રહે છે. જેથી સંભવિત નુકશાનથી બચવાના હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષિત ઈમારતો દ્વારા આપત્તિના જોખમને ઘટાડવા માટે આ તાલીમનું અયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા ઈજનેરો સુરક્ષિત બાંધકામ પદ્ધતિઓમાં નવીનતમ પદ્ધતિઓ અને ટેક્નોલોજી અંગે અવગત કરાયા હતા.
મોરબી જિલ્લામાં ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને રાખવામાં આવેલી આ તાલીમમાં કલેક્ટર જે.બી.પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના ઈજનેર, સિંચાઈ વિભાગ (રાજ્ય અને પંચાયત બન્ને)ના ઇજનેર, એસ.એસ.એ.ના ઈજનેર, નગરપાલિકાના ઈજનેર વગેરે હાજર રહ્યા હતા.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...