મોરબીના ઊંચી માંડલ નજીક પસાર થતી નર્મદા કેનાલ માંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ઊંચી માંડલ તળાવીયા સનાલા ગામની સીમમાં આવેલ એક સિરામિક ફેક્ટરી સામે નીકળતી નર્મદા કેનાલ માંથી મધ્યપ્રદેશના રહેવાસી ગનસાભાઈ ઠાકુરનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આધેડના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે પોલીસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
