મોરબી: પાટીદાર કન્યા છાત્રાલય- મોરબી ખાતે તારીખ 25/10/2022 નેં મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે.
કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે પાટીદાર સમાજ નો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ન હોય આ વર્ષે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી, ઉમા મેડિકલ- મોરબી, તથા ઉમા સંસ્કારધામ (સમાજવાડી) લજાઈના ઉપક્રમે મોરબીમાં વસતા તમામ કડવા પાટીદારોનું સ્નેહમિલન 25 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાશે. જેમાં કુળદેવી મા ઉમિયાની સમૂહ આરતી કરી સૌ નૂતન વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવશે. ત્યારે આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા કડવા પાટીદારોને આમંત્રણ પાઠવાયું છે. સ્નેહમિલન પૂર્ણ થયા બાદ અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા મંજુરી વગર ચાલી રહેલા બાંધકામોને અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ સંબંધિત પક્ષકારોએ મહાનગરપાલિકાની નોટિસની અવગણના કરી બાંધકામ કાર્ય ચાલુ રાખ્યું હતું, જે નિયમ મુજબ ન...
આજે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગ સનાળા રોડ ખાતે આવેલ પટેલ શોપિંગમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખ પ્રવીણ સિંહ વણોલ, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરી, મોરબી માળિયા વિધાનસભા પ્રમુખ રાજ ખાંભરા ટંકારા પડધરી વિધાનસભા પ્રમુખ મિલન...
હળવદ તાલુકાના ટીકર ગામે દેવજીભાઈ મનજીભાઈ પરમાર ના ઘરે 70 વર્ષીય વૃદ્ધા દિવાબત્તી કરતા હોય તે વેડાએ શરીરે આગ લાગી દાઝી જતા વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રુબીબેન મનજીભાઈ પરમાર (ઉ.વ.૭૦). નામના વૃદ્ધ મહિલા ઘરે માતાજીના મંદિરમાં દિવાબતી કરતા હોય ત્યારે અચાનક...