મોરબી: મોરબીમાં કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ શીશો અકસ્માતે હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ન્યુ રેલ્વેકોલોની ધકાવાળા મેલડીમાની સામે રહેતા બીપીનભાઈ ભનુભાઇ ડાઠીયા (ઉ.વ.૩૫) ગત ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ પ્લાસ્ટીકના શીશામાંથી કેરોસીન નાખવા જતા અક્સ્માતે શીશો હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગતા દાજી જતા પ્રાથમીક સારવાર સવીલ હોસ્પિટલ મોરબી લઈ વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ રાજકોટ રીફર કરેલ હોય જ્યા સારવાર દરમીયાન ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ લોખંડની ઘોડી પરથી નીચે પટકાતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બીહાર રાજ્યના વતની અને હાલ મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં...
મોરબી તાલુકાના નાની વાવડી ગામે શ્રી બાલા હનુમાન સોસાયટી જી.ઈ.બી. ઓફીસની પાછળ જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ શખ્સોને રૂ. ૨૭,૫૦૦ ના મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના નાની...
માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ. ૨,૫૨, ૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૨,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને માળીયા મી. પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે વવાણીયા ગામના રહિશ કિશનભાઇ આયદાનભાઇ બોરીચાએ પોતાના કબ્જા ભોગવટાવાળા વાડાની...