મોરબી: મોરબી શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસ મહેશ હોટલની સામે વાળામા ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરતા અકસ્માતે આગ લાગતાં દાજી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં એ.જે. કંપની પાછળ રાજ બેંક વાળી શેરીમાં રહેતા અજય નાયક (ઉ.વ. ૩૦ ) નામનો યુવક ગઇ તા. ૦૨/૧૦/૨૨ રોજ મોરબી શનાળા રોડ ઉપર આવેલ રંગોલી ખમણ હાઉસ મહેશ હોટલ ની સામે વાળા મા ખમણ બનાવવા માટે ગેસ ચાલુ કરતા અકસ્માતે આગ લાગતા આખા શરીરે દાજી જતા પ્રથમ સારવાર માટે મોરબી ક્રીષ્ના હોસ્પીટકલ ખાતે ગઇ તા. ૦૨/૧૦/૨૨ ના રોજ દાખલ થયેલ હોય જેનુ ચાલુ સારવાર દરમ્યાન તા. ૧૨/૧૦ /૨૨ના રોજ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એચસીજી ડોકટરોની હાજરીમાં સર્વાઈવર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એચસીજી ખાતે સફળતાપૂર્વક કેન્સરની સારવાર પૂર્ણ કરનારા દર્દીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જાગૃતિ ફેલાવવા, વહેલા નિદાનને પ્રોત્સાહન...
“ગિરનારી મંડળ” નામનું વોટસઅપ ગ્રુપ વર્ષ ૨૦૧૫થી સતત સક્રિય રીતે કાર્યરત છે, જેની સ્થાપના રાજેશભાઈ ગોહેલ દ્વારા થયેલ.આ મંડળનું મુખ્ય ધ્યેય વનસ્પતિ પરિચય, આયુર્વેદનો શાસ્ત્રોક્ત પ્રચાર, લોકોને સાચી અને સંયમિત ચિકિત્સાની સમજ આપવી, તેમજ વનસ્પતિઓનો ઔષધીય ઉપયોગ, સંવર્ધન અને સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. સાથે સાથે, સમાજમાં પર્યાવરણના મહત્વ...