મોરબી જલારામ ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. હોલમાં તા.૧૪-૦૯-૨૦૨૫ થી ૨૦-૦૯-૨૦૨૫ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી-ભાવેશ્વરી માતાજી- રામધન આશ્રમ, મોરબી) ના વ્યાસાસને ૧૧ પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે.
તેમજ પોથી અંગે વધુ માહિતી માટે ભાવનાબેન અનિલભાઈ સોમૈયા- મો- ૮૫૧૧૦ ૬૦૦૬૬ પર સંપર્ક કરો. તેમજ સપ્તાહ દરમિયાન બપોરે ફરાળ મહાપ્રસાદ તથા સાંજે મહાપ્રસાદ માં સહયોગ અર્પણ કરવા માટે ગીરીશભાઈ ઘેલાણી -મો- ૯૮૨૫૦ ૮૨૪૬૮ પર સંપર્ક કરો.