વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આગામી તા ૧૪-૯ રવિવાર ભાદરવા વદ ૮ થી તા.૨૦-૯ શનીવાર ભાદરવ વદ ૧૪ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં વ્યાસાસને શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ. રત્નેશ્વરીદેવીજી (ગુરૂ-ભાવેશ્વરી માતાજી,રામધન આશ્રમ,મોરબી) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવણી કરવામાં આવશે તેમજ દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. સપ્તાહ સવારે ૯ઃ૩૦ થી ૧૨ઃ૩૦ કલાક તેમજ બપોરે ૩ઃ૩૦ થી ૬ઃ૩૦ કલાક એમ દરરોજ બે ચરણમાં યોજાશે.
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તથા IMA (Indian Medical Association) મોરબી દ્વારા “શ્રી બુનિયાદી કન્યા શાળા” તથા “તાલુકા શાળા નંઃ૧” મોરબી ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા બંને શાળાઓમાંથી કુલ...
મોરબીના લીલાપરમા મહાદેવ કારખાના પાસે રહેતા કિશોરભાઈ બચુભાઈ વાઘાણી (ઉ.વ.૩૪) નામનો યુવક લીલાપર ફિટર હાઉસ પાસે ડૂબેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જહેમત બાદ લીલીપર ફિટર હાઉસ પાસે ડૂબેલ કિશોરભાઈ બચુભાઈ વાઘાણી...
મોરબીના રંગપર ગામ પાસે આવેલ લેવીન્જા સિરામિક કારખાનામાં યુવક હાજર હોય ત્યારે કારખાનામાં બેલ્ટ જામ થઇ જતા લાઇન ઓપરેટર ટાઇલ્સ કાઢતા હોય જેમાં એક ટાઇલ્સ છુટી જતા તેમને ઠપકો આપતા સારૂં નહીં લાગતા ત્રણ શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...